Tuesday, November 3, 2020

ચુંટણી ના એક દિવસ અગાઉ સોસીઅલ મીડિયા ઉપર ખોટો પ્રચાર કરનાર ઈબ્રાહીમ જફર હાલેપોત્રા ઉપર ગુનો દાખલ

 


૩ નવેમ્બર ૨૦૨૦ :

કચ્છ - ગુજરાત ના અમુક વિસ્તારમાં થઇ રહેલી પેટા ચુંટણી મા ઉભેલા ઉમેદવાર ઈબ્રાહીમ જફર હાલેપોત્રા એ સોસીઅલ મીડિયા (વોટ્સઅપ) પર ખોટો પ્રચાર કરી વોટ ખાવાનું જે કાવતરું કરી આચાર સહિતાનું ઉલ્લંઘન કરેલ છે. તલવાણા સ્થીત રુકાનશાહ પીર દર્ગના મુજાવર શ્રી અકબરભાઈ અબ્બાસભાઈ હાલા એ ચુંટણી કાર્યાલય તેમેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



મુજાવર શ્રી અકબરભાઈ હાલા એ એમલાઇવ.ન્યુઝ ને એક મુલાકાત આપતા જણાવ્યું હતું કે તદ્દન ખોટી જાહેરાત કરી છે હાલેપોત્રા એ અને આપના દેશનું સૌવીધન તેમજ આચાર સહિતનું ઉલ્લંઘન કરેલ છે. જેની મેં ફરિયાદ કરેલ છે. તદ્દન ખોટી જાહેરાત કરી વોટ ખાવા નો પ્રયત્ન કરેલ છે. કચ્છ ના મારા વ્હાલા ભાઈ-બહેન, માતા-પિતા, દીકરા-દીકરી ને હાથ જોડી વિનંતી છે કે ખોટા પ્રચાર થી અંજાઈ ને તમારો અમુલ્ય વોટ બરબાદ કરચો નહિ ખોટી વ્યક્તિ ને તમારો અમુલ્ય વોટ આપશો નહિ.

હાજીપીર જવાના રસ્તાનું સમારકામ તેમજ પહોળો કરવાનું કામ મેં એટલે મુજાવર અકબર એ હાલા અને મારા પત્રકાર મિત્રોએ કરેલ છે. તેના તમામ પુરાવા અમારી પાસે છે. સરકારી કચેરી થી લઈને મંત્રાલય સુધી ઘણા પત્ર વ્યવહાર તેમજ ધક્કા ખાધા પછી અમને હાજીપીર ના રસ્તાનું સમારકામ તેમજ પહોળો કરવાની મંજુરી મળો છે. મુખ્યમંત્રી શ્રી એ પોતે અમને મંજુરી નો પત્ર મોકલેલ છે.  

એટલે જે કામ મા હાલેપોત્રા એ ૧ રૂપિયાનું રસ લીધો નહિ સરકારી ખાતામાં એક પણ પત્ર વ્યવહાર કર્યો નથી તેને હાજીપીર ના રસ્તા ના નામે વોટ આપતા નહિ. જો કે અમુક વર્ષ પહેલા હાલેપોત્રા ને અમે વતી વિનંતી કરવામાં આવી હતી કે હાજીપીર દર્ગા નો ૩૨ કિલોમીટર રસ્તો રીપેર તેમજ પહોળો કરવો જરૂરી છે હું મુજાવર તેમજ પત્રકાર એસોસીએશન મા છુ તેમજ કચ્છ ના ઘણા પત્રકારો મારી સાથે જોડાયેલા છે અમે ગુજરાત સરકાર ને વિનંતી કરી છે કે હાજીપીર દર્ગા જવાનો ૩૨ કિલોમીટર રસ્તો વહુજ ખરાબ છે જે પહોળો કરવો પણ જરૂરી છે, તે વખતે હાલેપોત્રા એ અમને કઈ પણ મદદ કે સાથ આપવાની ચોખા શબ્દોમાં ના પડી હતી અને આજે ચુંટણી ના એક દિવસ અગાઉ જયારે આચાર સહિત લાગુ પડી ગઈ છે ત્યારે સોસીયલ મીડિયા મા ખોટી હજેરાત કરી છે કે જહીપીર નો રસ્તો તેણે પાસ કરાવ્યો છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને ચુંટણી કેન્દ્ર તેમજ પોલીસ મા ફરિયાદ કરેલ છે. કે ઈબ્રાહીમ જફર હાલેપોત્રા ઉપર કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ.

વોટ આપવો એ આપણો અધિકાર અને ફરજ છે પણ આપણો એક પણ અમુલ્ય વોટ કોઈ કોટા ઉમેદવાર ને આપશો નહિ. વોટ આપવા જરૂરથી જાજો જો નહિ જાવ તો ખોટો ઉમેદવાર ચુંટાઈ આવશે અને તમારો એક વોટ કોઈને પણ જીતાળી શકે છે અથવા હરાવી પણ શકે છે એટલે જરૂર થી વોટ આપવા જાજો.